વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સતા - કલમ : 408

વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સતા

(૧) એવી કાયૅવાહી ઉચ્ચન્યાયાલયને સાદર કરવામાં આવે ત્યારે જો તેને એમ લાગે કે દોષિત ઠરેલ વ્યકીતના દોષ કે નિદોષતાને લગતા કોઇ મુદ્દાની વધુ તપાસ થવી જોઇએ અથવા તે વિષે વધારાનો પુરાવો લેવો જોઇએ તો તે પોતે એવી તપાસ કરી શકશે અથવા એવો પુરાવો લઇ શકશે અથવા સેશન્સ ન્યાયાલયને તપાસ કરવાનો કે પુરાવો લેવાનો આદેશ આપી શકશે.

(૨) ઉચ્ચન્યાયાલય અન્યથા આદેશ કરે તે સિવાય એવી તપાસ કરતી વખતે કે પુરાવો લેતી વખતે દોષિત ઠરેલ વ્યકિતને હાજર રાખવાની જરૂર રહેશે નહી.

(૩) ઉચ્ચન્યાયાલયે પોતે તપાસ ન કરી હોય અથવા (લેવાનો હોય તે) પુરાવો લીધો ન હોય ત્યારે તે તપાસનું પરિણામ કરે પુરાવો પ્રમાણિત કરીને તે ન્યાયાલયને મોકલી આપવો જોઇશે.